New Believer Course·4 માંથી 10

Jesus has provided a way back to God through his death, burial, and resurrection. We can experience this journey to God through faith.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
1 યોહ. 1:1

જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
1 યોહ. 1

જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ. તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ. હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી. જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે. જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
ઈશ્વરની ક્ષમા પ્રાપ્ત કરવી, તેનો શું અર્થ છે? ઈસુ આપણને દૃષ્ટતાથી મુક્ત કરવા મૃત્યુ પામ્યા હતા તો પણ આપણે મુક્ત નથી, ફક્ત એટલા માટે કે આપણે માનીએ છીએ કે તેઓ જીવીત છે. ખરેખર ઈશ્વરની ક્ષમા મેળવવા માટે, આપણી પોતાની સ્વાર્થી ઇચ્છાઓ કરતા વધુ આપણે આપણા હૃદયને તેમના ઉપર અને તેમની ભલાઈ ઉપર સ્થિર કરીને આપણી જાતને પરિવર્તિત થવા દેવાની છે. તેના અંગે વિચાર કરો. જો તમે કોઈ વ્યક્તિને તમને માફ કરવાનું કહો છો પરંતુ અલગ રીતે વર્તણુંક કરવાનો ઈરાદો નથી તો, શું તમે હકીકતે માફી માંગો છો? ચોક્કસ નહીં. કારણ કે તમારું હૃદય તેમને ચાહવા પર સ્થિર થયું નથી. તો પણ, મૃત્યુ પામીને ઈસુએ આપણો પ્રેમ અને નિકટતા મેળવી હતી. અને આપણા માટે ફરીથી જીવીત થઈને આવી રહ્યા છે. અને પ્રેમ અને ક્ષમા જે તેઓ આપણને આપે છે તે એવી બાબત છે જે આપણને સેવા, શુદ્ધતા, અને સ્વતંત્રતાનું એવું જીવન આનંદપૂર્વક રીતે જીવવા માટે સશક્ત બનાવે છે જે જીવન તેઓ આપી રહ્યા છે. આ એક આજીવન સફર છે જેના માટે ઈશ્વર આપણને તાકાત આપે છે કારણ કે આપણે દરેક બાબત માટે દરરોજ તેમના ઉપર આધાર રાખીએ છીએ. તો પણ આપણે બધા જીવનમાં ભૂલ કરીએ છીએ, કારણ કે આપણે મનુષ્ય છીએ. તેથી, જ્યારે તમે નિષ્ફળ જાવ ત્યારે યાદ રાખો કે ઈશ્વરે તમને તેનું બાળક બનવા માટે પસંદ કર્યા છે. જો તેમણે તમે તેના દુશ્મન હતા ત્યારે તમને માફ કર્યા હોય તો તમે ભરોસો રાખી શકો છો કે તેઓ હવે તમને માફ કરશે.
JesusFilm